Sunday, August 2, 2026

“વાડીનો એરવાલ તે તોડી નાખ્યો” તેમ કહી બે શખ્સનો વૃદ્ધ પર પાવડા વડે હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ચકમપર ગામે વાડાની જમીનમાં એરવાલ તૂટી જવા મામલે બે શખ્સોએ વૃદ્ધને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ચકમપર ગામે રહેતા જયંતીભાઈ ભીખાભાઈ દારોદ્રા (ઉવ.૬૨)ના વાડાની જમીનમાંથી આરોપી પરસોતમભાઈ ગાંડુંભાઈ કાલરીયાની વાડીનો એરવાલ નીકળતો હોય જે તૂટી જતા ફરિયાદી જયંતીભાઈ એ તોડેલ હોય તેમ કહી આરોપી પરસોતમભાઈ કાલરીયાએ વાસામાં લોખંડનો સળોથો મારેલ તથા આરોપી અજાણ્યા શખ્સ વાસામાં પાવડાનો હાથો મારી મુંઢ ઈજા કરી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,263

TRENDING NOW