મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં રતનબેનનો સત્સંગ, કુમારિકા પૂજન, પોથી , કોરોના પૂજન, વોરીયર્સનું સન્માન સહિતના કાર્યક્રમ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં ઉજવાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રૂગનાથભાઈ ભૂત, ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, ખીમજીબાપા, દિલીપ મહારાજ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે આશાવર્કસ બહેનોને પણ પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.





