હળવદના માનસર ગામે ગામની તલાવડીમાં પડી જતાં શ્રમિકનું મોત.
હળવદ તાલુકાના માનસર ગામે ગામની તલાવડીમાં ખેત શ્રમિક પડી જતા તેનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માનસર ગામે બળદેવભાઈ લાલજીભાઈ રાઠોડની વાડીએ રહી ખેતમજૂરી કરતા આહવા ડાંગ જિલ્લાના વતની સુનિલભાઈ ગણપતભાઈ ગાંગોડ ઉ.35 ગામની તલાવડીએ ગયા બાદ કોઈપણ કારણોસર તલાવડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે





