વાંકાનેરમાં બીમારી થી કંટાળી વૃદ્ધે જીવન ટુંકાવ્યું.
વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર રહેતા એક વૃદ્ધ પોતાની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું ત્યારે આ બાબતે પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના પ્રતાપ રોડ ઉપર રહેતા દિલીપકુમાર મણિલાલ જોબનપુત્રા ઉ.76 નામના વૃદ્ધનો પગનો ગોળો બે અઢી વર્ષથી ભાંગી ગયા બાદ પેશાબની બીમારી પણ હોય પોતાના ઘેર ઇલેક્ટ્રિક પલંગમાં બન્ને છેડે સાડી બાંધી ઇલેક્ટ્રિક પલંગની સ્વીચ દ્વારા પલંગ ઉંચો કરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





