ઢુંવા ગામે ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મોત.
વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે મહિલાને પોતાના ઘરના ફળિયામાં ઝેરી જનાવર કરડી જતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેમને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે દેવીપૂજક વાસમાં રહેતા ગીતાબેન વલ્લભભાઈ મણદરીયા ઉ.36 નામના મહિલા પોતાના ઘરના ફળિયામાં ઉભા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





