રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા અન્વયે અજય લોરિયા દ્વારા આજે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી કરાશે.
આજરોજ રામલીલા અયોધ્યામાં બિરાજમાન થયા.છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ – નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-‘સેવા એજ સંપત્તિ’ ‘ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક અને સેવાભાવી અજય લોરીયા દ્વારા આજે 2100 કિલો મીઠાઈનું વિતરણ કરાશે તથા સાંજે 6 વાગે આતશબાજી કરવામાં આવશે ત્યારે મોરબીના તમામ રામભક્તો ને પ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





