Sunday, June 21, 2026

રામદેવપીર મંદિર – અલખધણી આશ્રમ હમીરપર ગામે રામદેવપીર ના પ્રથમ પાટોત્સવનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

રામદેવપીર મંદિર – અલખધણી આશ્રમ હમીરપર ગામે રામદેવપીર ના પ્રથમ પાટોત્સવનું આયોજન.

મોરબી જિલ્લા ના ટંકારા તાલુકા ના હમીરપર ગામે તા.૩૦/૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ રામદેવપીર મંદિર – અલખધણી આશ્રમ – હમીરપર ગામ ખાતે રામદેવપીર મહારાજ નો પ્રથમ પાટોત્સવ નું આયોજન કરવામા આવ્યું હતું આ આયોજન માં સમસ્ત હમીરપર ગામે મહાપ્રસાદ લીધો હતો અને સાંજે ૯ થી ૧ વાગીયા સુધી મોરબી રામધન આશ્રમ ના રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરીમાં એ સંગીતમયશૈલીમાં પોતાની અમૃતવાણી નો લાભ આપ્યો હતો અને સાથે ભજન સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગ માં સમસ્ત હમીરપર ગામે સાથ સહકાર આપ્યો એ બદલ રામદેવપીર મંદિર ના પૂજારી જ્યંતિભાઈ રાઠોડ દ્વારા ગામ નો આભાર માનવામાં આવ્યો હતો.
અલખ ધણી આશ્રમ દ્વારા દર બીજે બટુક ભોજન , ભજન કીર્તન પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે તેમ
મુકેશ ભગત ની યાદીમાં જણાવ્યું હતું

Related Articles

Total Website visit

1,608,900

TRENDING NOW