Thursday, June 25, 2026

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આજરોજ મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા એલપીજી અંગે સેમિનાર યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આજરોજ મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા એલપીજી અંગે સેમિનાર યોજાયો.

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આજરોજ મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા એલપીજી અંગે સલામતીના પગલાંઓને લઈ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ શ્રી એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજેલ જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ. ઉપરાંત, મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં LPG ગેસનો વપરાશ થતો હોઈ, તેના હેન્ડલિંગ તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા-૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ શ્રીઓ મુકેશભાઈ કુંડારીયા, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ભાડજા, શ્રી હરેશભાઇ બોપલીયા, પુર્વ પ્રમુખ શ્રીઓ મુકેશભાઇ ઉઘરેજા નિલેષભાઇ જેતપરિયા, કિશોરભાઇ ભાલોડીયા તેમજ મોરબીની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી યુ.જે.રાવલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી આર.જી.ચૌધરી તથા અન્ય અધિકારી શ્રી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ.

Related Articles

Total Website visit

1,609,351

TRENDING NOW