હળવદના રાણેકપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી
હળવદ: હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં સંજયભાઈ ભીખાભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં સંજયભાઈ ભીખાભાઈ પટેલની વાડીએ રહેતા ચકુબેન રામાભાઈ ભીલ (ઉ.વ.૩૦)ને તેના પતિ સાથે રસોઈ બાબતે અણ બનાવ થતા મનમાં લાગી આવતા પોતાની જાતેથી ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન પરણીતાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





