પ્રેરણામુર્તિ સ્વ.શ્રી ઓ.આર.પટેલ સાહેબ ની ૧૧ મી પુણ્યતિથી નિમીતે યોજવામા આવેલ સમગ્ર સૌરાષ્ટ્ર મા યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ત્થા દેહદાન સંકલ્પ ના કેમ્પ નિમીતે આજ રોજ દેહદાન કરવાના સંકલ્પ લેવાની શરૂઆત આપણા ભામાશા અને અનેક સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે સેવા આપતા સર્વધર્મ સમભાવની ભાવનાને પ્રતિક કરતા હોય એવા શ્રી ગોવિંદભાઇ વરમોરા (ચેરમેન- સનહાર્ટ ગ્રુપ ) તરફથી દેહદાન કરવાનો સંકલ્પ કરવામા આવેલ છે અને દેહદાન નો સંકલ્પ કરનાર શ્રી ગોવિંદભાઇ વરમોરા એ જણાવ્યુ કે મારા જીવનમા જેમની હંમેશા પ્રેરણા રહી છે તેવા પ્રેરણામુર્તિ શ્રી ઓ.આર.પટેલ સાહેબ ના પુણ્યતિથીએ મને સંકલ્પ લેવાની પ્રેરણા મળી ત્યારે મોરબી વાસીઓ આવતી કાલના બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વડીલોને દેહદાન સંકલ્પ લેવા માટે બહોળી સંખ્યા મા આવવા માટે આહવાન કરે છે.





