વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા મોરબીની મુલાકાતે.
જય શ્રી રામ
આજ રોજ મોરબી ખાતે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો. નમ્રતાબેન રૈયાણી અને પશ્ચિમ કચ્છ ના સહ સંયોજીકા મોરબી ના પ્રવાસે આવેલ હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા દુર્ગાવાહીની આયામના જવાબદાર ભગીની તથા કાર્યકર્તા દીકરીઓ સાથે બેઠક કરી એ દરમિયાન લવ જિહાદ, નારી શક્તિ તથા દુર્ગાવાહીની દ્વારા આગામી સમયમાં આવનાર કાર્યક્રમો તથા ઉત્સવો કરવા વગેરે વિષય ની ચર્ચા કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબીના જવાબદાર ભાઈઓ સાથે પણ બેઠક કરવામા આવી હતી.






