મોરબી જિલ્લા નો તરણેતર લોકમેળા માં પશુ પ્રદર્શન હરીફાઈ માં તૃતીય નંબર
મોરબી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગીર ગાય માં વોડકી વિભાગ માંથી બંધુનગર ના ત્રિગુણભાઈ નાગજીભાઈ કૈલા ની ક્રિષ્ના નામની 21 મહિના ની વાછડી ને મોકલી હતી જેને ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા તૃતીય નંબર મેળવેલ છે. ઉલ્લેખનીય છે કે ત્રિગુણભાઈ ખુદ ઘણા સમય થી ગીર ગાય ના સંવર્ધન માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે આજ તેની જ ક્રિષ્ના નામની વાછડી લાખણીયા નામ ના ઉત્તમ ગીર ખૂંટ થી કુત્રિમ બીજદાન કરાવી અને એક ઉત્તમ ગીર નશલ પેદા કરી પશુપાલકો ને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે










