વાંકાનેર તાલુકાના પ્રાતાપગઢ ગામે કુવામાં પડી જતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રાતાપગઢ ગામે રહેતા છીતુસીંગ કાલુભાઈ અજનાર (ઉ.વ.૩૫. મુળ રહે. પ્રતાપગઢ, તા. વાંકાનેર) પ્રતાપગઢ ગામની સીમમાં ઉસ્માનભાઈ અમીભાઈ કડીવારની વાડીએ કોઈપણ કારણોસર કોઈપણ રીતે કુવામાં પડી જતા મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે વાંકાનેર સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.





