મોરબીમાં સૌપ્રથમ વખત વીર માંગડાવાળો અને પદ્માવતી નું મહા નાટક યોજાશે.
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી દેશની મહાન ક્રાંતિકારી ત્રિપુટી એટલે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ને વિરાંજલી આપવા માટે 23 માર્ચને એક શામ અમર જવાનો કે નામથી ઉજવણી કરવા જઈ રહ્યું છે. . આ વર્ષે સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા માટે પોતાની જીવની આહુતિ આપનાર વીર માંગડાવાળો અને પદ્માવતી નું મહા નાટક મોરબીના આંગણે પ્રથમવાર રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ મોરબીવાસીઓને સહ પરિવાર પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહા નાટક એટલું સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવેલ છે જેને જોવું એ એક જીવનનો લાહવો છે તો આ તક ચુક્યા વગર અવશ્ય પધારવા વિનંતી.





