Saturday, August 1, 2026

મોરબીના મહાવીરનગર વિસ્તારમાં આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી કંડલા બાયપાસ રોડ પર મહાવીરનગરમા કામધેનુ પાછળ રહેતા બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી લાલજીભાઇ શાંતિભાઈ પરમાર રહે. વજેપર શેરી નં -૧૧ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો આરોપીના સાસુ લખમીબેનના ઘરે ઉલીયા બનાવવા જતો હોય જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીને છરી વડે છરીનો એક ઘા મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,200

TRENDING NOW