ટંકારા ખાતે ફરજ બજાવતા ASI વસંતભાઈ વઘોરા ને પ્રમોશન મળતા સન્માન કરવામાં આવ્યું.
ગત તારીખ 4 મેં ના રોજ રાત્રે ટંકારાના આંબેડકર હોલમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટંકારામાં ફરજ બજાવતા વસંતભાઈ વઘોરા સાહેબને ASI નું પ્રોમોસન મળવા બદલ સમાજના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણનો જન્મદિવસ હોઈ ત્યાં કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ તકે સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, Tr. જસવંતભાઈ ચાવડાએ પોતાની વાત રાખી હતી..અને આ તકે બુદ્ધ પૂર્ણિમા હોઈ બધા લોકોએ બુદ્ધને નમન કરી બુદ્ધ પૂર્ણિમાની પણ ઉજવણી કરી હતી.





