જેતપર ગામે વીજશોક લાગતા યુવકનું મોત.
જેતપર ગામે વીજશોક લાગતા ૨૨ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ અંગે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પારસ કનૈયાલાલ રાવ ઉ.22 નામના યુવાનને જીવાપર ગામની સીમમાં વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





