ખંભાળિયાના ધરમપુર ગામમાં મહાપ્રભુજી બેઠકની બાજુમાં વ્રજભૂમિ એપાર્ટમેન્ટ માથી મહિનાઓથી સેફટી ટેન્કનુ ગંદુ પાણી આ રસ્તા પર આવી રહ્યું છે. બાજુમાં આંગણવાડી ચાલુ હોય નાના ભૂલકાઓ માટે આરોગ્ય માટે જોખમી છે. તેમજ આજુબાજુમાં બેઠક તેમજ મંદિર હોય અને મહિલાઓ તેમજ વૃદ્ધજનો સવાર સાંજ દર્શને આવતા હોય તેને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. જોકે આ અંગે પંચાયતને લેખિતમાં અરજી આપવામાં આવેલી છે. ખંભાળિયાના ટીડીઓને ટેલીફોનિક રજૂઆત કરી ગામ પંચાયતની આપેલી નકલ મોકલવામાં આવી છે.






