Thursday, May 1, 2025

મોરબીના ખોખરાધામ ખાતે ચાલતી કથાના સમાપન સમારોહમાં કાલે શનિવારે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાશે 

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતની સૌથી ઊંચી ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર માઁ કનકેશ્વરીદેવીજી શ્રી રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં આવતા પ્રસંગો ધામધુમથી ઉજવાય રહ્યા છે અને રોજ હજારો ભાવિકો કથા શ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે.

આ કથામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળાના સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે ત્યારે કથાના નવમા અને અંતિમ દિવસે તા. ૧૬ ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ પ્રસંગે સવારે ૧૧ વાગ્યાથી સતત ૪૫ મિનીટ સુધી વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે.

આ ઉપરાંત ખોખરા હનુમાન ધામ સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે અને રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક કિર્તીદાનગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે જેથી તમામ ભાવિકોએ લાભ લેવાં આયોજનના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયા તેમજ હરિહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાન ધામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW