Saturday, March 7, 2026

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો.

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તાઃ ૨૯/૦૯/૨૦૨૪ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓ ને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધો. ૯ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટીફીકેટ તથા વિવિધ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પ્રમુખશ્રી જયેશભાઈ કોટેચા ના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૨૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરેલ હતા તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને ટ્વીતીય નંબર મેળવનાર ૧૧૫ થી પણ વધુ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરેલ હતા. તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પપ૦ થી પણ વધુ જ્ઞાતાના લોકોએ હાજરી આપી હતી અને કાર્યકમને સફળ બનાવેલ હતો.

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW