જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ ૬ મિલકતને સીલ કરાઈ.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા વસુલાત ટીમ દ્વારા ગઈકાલે વેરો નહીં ભરનારા આસામીઓની ૬ મિલકત સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા વેરાની બાકી વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વેરો નહીં ભરનારા આસામીઓની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ગઈકાલે ૬ મિલકત સીલ કરવામાં આવી હતી. જેમાં મીનાબેન સુરેશભાઈ પરમાર (ઓપેરા હેર આર્ટ) (રૂ. ૩૨૭૩૨), યાસીન એન્ડ કંપની-ભાગીદારી પેઢી (રૂ. ૨૯૮૨૮), અર્જુનભાઈ પરમાર-રતનબેન અર્જુનભાઈ પરમાર (રૂ.. ૨૩૧૯૦) તેમજ કે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ત્રણ મિલકત અનુક્રમે (રૂ. ૪૪૯૫૦, રૂ. ૪૪૯૫૦ અને રૂ. ૪૪૮૮૮)નો સમાવેશ થાય છે.





