ટંકારા તાલુકાના વિરપર ગામે પરિણીતાને છાતીમાં દુખાવો ઉપડતાં મોત.
ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા દંપતી વાડીએ ખડ લેવા જતું હતું ત્યારે રસ્તામાં અચાનક પરિણીતાને છાતીમાં દુઃખાવો ઉપડતા ચક્કર આવી પડી જતા સારવાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.14ના રોજ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા શોભનાબેન કાનજીભાઈ ઉઘરેજા અને તેમના પતિ કાનજીભાઈ પરસોત્તમભાઈ ઉઘરેજા બાઈક ઉપર વાડીએ ખડ લેવા જતા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ ચક્કર આવી બેભાન બની જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર બાદ મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





