માળિયા: નવલખી દરિયામાં બાજ નમી જતા પાણીમાં ડુબી જતાં બે યુવાનોના મોત
માળિયા (મી): માળિયા (મી)ના નવલખી દરિયામાં પાણીનું મોજુ આવતા બાજ (શીપ) દરિયામાં નમી જતા દરીયાના પાણીમાં ડુબી જતાં બે યુવાનના મોત નિપજયા.
પ્રાપ્ત માહિતી મુજબ સંજયસિંહ રાજેંદ્રસિંહ રાજપુત ઉવ-૨૩ તથા રવિંદ્રકુમાર સત્યાદેવ યાદવ ઉ વ-૨૨ બંને રહે હાલ હોલીટ્રીનીતી બાજુમાં નવલખી તા-માળીયા મી. જિ-મોરબી મુળ રહે બન્ને-શીવદહતા જબાલપુર બીહાર વાળાઓ ગત તા-૨૬/૦૯/૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે દરીયામાં પાણીનુ મોજુ આવતા બાજ (શીપ) દરીયામાં નમી જતા દરીયાના પાણીમાં ડુબી જતા બંનેનાં મોત નિપજયાં હતાં. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





