મોરબી: રાજપર ગામે ઝાડ પરથી પડતાં ડાળીએ બાંધેલ દોરડમા ગળાફાંસો આવી જતા બાર વર્ષના બાળકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં જગદીશભાઈ મુંદડીયાની વાડીના શેઢે આવેલ ઝાડવા પરથી રમતા રમતા પડી જતા ઝાડવાની ડાળીએ રહેલ દોરડમા ગળાફાંસો આવી જતા બાર વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ જગદીશભાઇ મુંદડીયાની વાડીમાં રહેતા સુમીતભાઈ કનકસિંહ કલવા ઉ.વ.૧૨ વાળો ગત તા.૦૭-૦૯-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે રાજપર ગામની સીમમાં જગદીશભાઇ મુંદડીયાની વાડીના શેઢે આવેલ ઝાડવા પરથી રમતા-રમતા પડી જતા ઝાડવાની ડાળીએ રહેલ દોરડામાં ગળાફાંસો આવી બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.