બંગવાડી ગામે કુદરતી હાજતે ગયેલ બાળકીને ઝેરી જનાવર કરડી જતાં મોત.
ટંકારા ના બંગવડી ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિવારની પાંચ વર્ષની બાળકી કુદરતી હાજતે જતા ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત નીપજ્યું હતું.ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની આરતીબેન શુકમભાઈ રાઠોડ નામની પાંચ વર્ષની બાળકી વાડીમાં કુદરતી હાજતે ગઈ હતી ત્યારે ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





