હરીપર કેરાળા ગામે ગળેફાંસો ખાઈ આધેડએ જીવન ટુંકાવ્યું.
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે અગમ્ય કારણોસર આધેડે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજ્યું હતું ત્યારે હાલ પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા મિતેશભાઈ સવજીભાઈ વિરપરિયા (ઉ.વ.૫૧) એ હરીપર કેરાળા ગામે રમેશભાઈની વાડીએ કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





