મોરબીના ધુટુ ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
મોરબીના ધુટુ ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ધુટુ ગામ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોય જેની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમે દોડી જઈને મૃતદેહને પી એમ માટે ખસેડી ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી જેમાં મોરબી તાલુકા પોલીસના તપાસ અધિકારી જે પી વસીયાણી સાથે વાત ચિત કરતા જણાવ્યું હતું કે મૃતક યુવાન મુકેશભાઈ જુવાનસિંહ મંડલોય (ઉ.૩૫) રહે-ઉંચી માંડલ ગામની સીમમાં ફ્લેશ કારખાનાના લેબર કવાર્ટર વાળો હોવાનું જાણવા મળ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે





