Sunday, March 15, 2026

હળવદના રણજીતગઢ ગામની સીમમાંથી બાઈકની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

હળવદના રણજીતગઢ ગામની સીમમાંથી બાઈકની ઉઠાંતરી

હળવદ: હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં આવેલ હરીકૃષ્ણ ધામ મંદિર પાસે રોડની સાઈડ પરથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદના મયુરનગરમા રહેતા બાબુભાઈ પોપટભાઈ કણઝરીયા (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૨-૨૦૨૨ ના રોજ રાત્રીના નવ વાગ્યાથી અગીયારેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમે ફરીયાદીનુ બ્લેક કલરનુ સિલ્વર પટ્ટાવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- જી.જે.૧૩-કે.કે-૩૫૩૧ છે. તથા મોડલ માર્ચ ૨૦૧૩ ની સાલનુ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય તે મોટરસાયકલનુ કોઈ સાધન વડે હેન્ડલ લોક ખોલી તોડી ચોરી કરી લઇ ગયો હવાની બાબુભાઈએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,465

TRENDING NOW