એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબી: તારીખ 15/12/2022 ના રોજ મહા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોવાથી મોરબી જીલ્લામા એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા તારીખ 15/12/2022 ગુરુવાર ના રોજ રાત્રે 9/00/ વાગે મોરબી જિલ્લાની અંદર પ્રગતિ ક્લાસીસ કલેકટર બંગલાની બાજુમાં મહા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ દીપ પ્રગટાવી હાર પહેરાવીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમાં એકતા એજ લક્ષ્ય સંગઠનના તમામ કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હતા અને એકતા એજ લક્ષ્ય સંગઠન અઢારે વરણને સાથે રાખીનેને કાર્ય કરતું સંગઠન છે જેમાં ત્યારે અઢારે વરણના ભાઈઓ હાજર રહ્યા હતા અને મીટીંગનુ આયોજન પણ કરવામાં આવ્યું હતુ જેમા કહેવાયુ હતું ગમે ત્યારે જરૂર પડે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠન અઢારે વરણની સાથે અડીખમ ઉભુ છે અને આજીવન ઉભુ રહેશે.





