મોરબી-માળીયા વિધાનસભાની બેઠક પર રાજુભાઇ આહીરને કોંગ્રેસમાથી ટીકીટ મળવાની સંભાવના
રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે હર કોઈ વ્યક્તિના મનમાં એક જ સવાલ ઉભો છે કે ટીકીટ કોને મળશે અને કોને મળવી જોઈએ તે ચર્ચાઓ લોક મુખે પાનના ગલ્લે, ગામના ચોરે કે શેરીઓમાં થતી હોય છે. ત્યારે મોરબી- માળિયા વિધાનસભાની બેઠક પરથી કોને ટીકટ મળશે તે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે આશરે પચાસેક વર્ષથી જોડાયેલા દેવાયતભાઇ આહીર તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપ પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર ઝોન ઓબીસીના પ્રભારી રહી ચુક્યા છે. તેમજ તનેક વિધાનસભામાં પ્રભારી પણ રહી ચૂક્યા છે. દેવાયત ભાઈ આહીર ના પુત્ર રાજુભાઇ આહીરે તેમના પિતા નો સીધો વારસો સંભાળેલ છે. રાજુ ભાઈ આહીર એ એમ.એ. બી.એડ.એમ.એડની સાથે જર્નાલિઝમ સુધી અભ્યાસ કરેલ છે. સાથે મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ છે. યુવા લડાયક તરીકેની ઓળખ ધરાવે છે. હર હંમેશ પ્રજાની સાથે રહી પ્રજાના કાર્ય કરે છે. તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મોરબી માળિયા બેઠકના પ્રબળ દાવેદાર હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.





