Monday, March 9, 2026

માળીયાના ખાખરેચી ગામમાં દેશીદારૂના હાટડા ક્યારે બંધ થશે: છાશવારે ધમાલ કરતા દારૂડીયાઓને પોલીસ ક્યારે કાયદાનુ ભાન કરાવશે…!!

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણાના ખાખરેચી ગામમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ બંધ કરાવવા લોકમાંગ ઉઠી રહી છે. માળીયા પોલીસની હદમાં આવતા ખાખરેચી ગામમાં બુટલેગરો બેફામ બની છાશવારે ગામમાં ધમાલ કરતા હોવાની રાવ ઉઠી છે. સાંજ પડે ને દેશી કોથરીયા પોતાના લખણ ઝળકાવતા હોવાથી બહેનો દિકરીઓને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે જેમા દેશી પીને દારૂડીયો પુષ્પાના વહેમમાં સાલા ઝુકેગા નઈ જેવો તાલ સર્જી ગામ ગાંડુ કરતા હોવાની રાવ ઉઠી છે.

જેથી સ્થાનીક લોકો દ્વારા વારંવાર રજુઆત કરી હોવા છતા પોલીસની મીઠીનજર તળે દારૂડીયા બેકાબુ બની પોતાની મોજમાં મશગુલ થઈને આમ જનતાને પરેશાન કરતો હોવાની રાવ ઉઠી છે વધુમાં દેશી દારૂડીયા ગામને પોતાના પિતાજીનો બગીચો સમજી બેફામ બિભત્સ ગાળો બોલી ધમાલ કરી દાદાગીરી પર ઉતરી આવી લોકોને હેરાન પરેશાન કરતા હોય જેથી વહેલી તકે આવા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવી બુટલેગરોને શાનમાં સમજાવી હવામાં ઉડતા તત્વો પર લાલઆંખ કરવા માંગ ઉઠી છે જો આગામી દિવસોમાં બેલગામ રહેલા દારૂડીયા અને ધમધમતા દેશીદારૂના હાટડા બંધ નહી થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનુ પણ જાણવા મળ્યું છે.

વધુમાં દેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરો ઉપર પોલીસ પકડ ન રહેતી હોય તેવા બુટલેગરો સામે પાસાનુ શસ્ત્ર ઉગામવા પણ લોકમાંગ ઉઠી રહી છે. અન્યથા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કડક અધિકારી દ્વારા જાહેર કરેલ નંબર ઉપર પણ આ બાબતે જાણ કરવા પણ ગ્રામજનોએ તૈયારી બતાવી છે જેથી આગામી સમયમાં ખાખરેચી ગામમાં ફાટીને ધુમાડે ગયેલા દેશી દારૂડીયા અને બેલગામ બનેલા બુટલેગરોને કાયદાનું ભાન નહી કરાવવામાં આવે અને ધમધમતા દેશી દારૂના હાટડા પર પોલીસ તવાઈ નહી બોલાવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાના સંકેત જોવા મળી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,595,205

TRENDING NOW