માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા શિક્ષકો માટેની “રાષ્ટ્રીય પારિતોષિક યોજના” અમલમાં છે જે અન્વયે “રાષ્ટ્રીય પારિતોષિક – ૨૦૨૨” માટે સ્વ-નામાંકન કરવા ઈચ્છુક શિક્ષકોએ તા. ૨૦/૦૬/૨૦૨૨ સુધીમાં પોતાના નામની નોંધણી MHRD ના વેબસાઈટ http://nationalawardstoteachers.education.gov.in પર જરૂરી સૂચનાઓ અનુસાર ઓનલાઈન દરખાસ્ત કરી શકશે જેની મોરબી જિલ્લામાં સરકારી/અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.