Saturday, May 3, 2025

મોરબીમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ મળી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાંથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે 100 થી વધુ ગાડીઓમાં 500 થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે

મોરબી : તા. 30 એપ્રિલ 2022 ના રોજ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા ગુજરાતના નેજા હેઠળ રાજ્યના નેતૃત્વ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના, તાલુકાના હોદ્દેદારોની એક બેઠકનું આયોજન થયું હતું. આગામી તા. 06 મે 2022 ના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવા માટે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાશે તેના સંદર્ભે જ્યારે ગુજરાતભરમાંથી શિક્ષક ભાઈઓ, બહેનો તથા કર્મચારીઓ માથે કેસરી પટ્ટી રાખી ધરણા કાર્યક્રમ આપવાના છે જેના અનુસંધાને બેઠકનું આયોજન સયુંકત મોરચાના સંયોજક દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તકે દરેક તાલુકામાંથી ખુબ જ બહોળી સંખ્યામાં તમામ કર્મચારીઓ સહિત તમામ શિક્ષક બંધુ અને ભગીનીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા કાર્યક્રમની વ્યુરચના સંદર્ભેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ટંકારાના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા દ્વારા તમામ સંવર્ગના હોદેદારોને તા. 06 મે ના આંદોલન કાર્યક્રમમાં કેવી રીતે શિસ્તબદ્ધ રહેવાનું છે, કેવી રીતે વધુમાં વધુ કર્મચારીઓ જોડાય, એક કર્મચારી તરીકેની આપણી ત્યાં ફરજ કેવી હશે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ માળિયાના અધ્યક્ષ અને જિલ્લાના ઉપાઘ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા જૂની પેન્શન યોજના સંદર્ભે માઇક્રો પ્લાનિંગ દ્વારા કાર્યક્રમને સફળ કેમ બનાવો ? તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહેન્દ્રભાઈ ગોસરા અને સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ હળવદ અને મોરબી દ્વારા બહેનો વધુમાં વધુ કેમ જોડાય ? બહેનોને ગાંધીનગર જવા માટેની વ્યવસ્થા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ગાંધીનગર ખાતે છઠ્ઠી ડિસેમ્બરના રોજ ધરણામાં કુલ 100 કરતા વધુ ગાડીઓમાં 500 થી વધુ કર્મચારીઓ ઉમટી પડશે એવું એકી અવાજે નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW