હળવદ : ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાનજીની જન્મજયંતિ. આ દિવસ આખા દેશમાં લોકો ભક્તિભાવથી ઉજવે છે. ભગવાન શ્રી રામને પણ સીતાની શોધ માટે હનુમાનજીની જરૂર પડતી હોય ત્યારે આવા ગુરુ શિષ્યની જન્મજયંતિ આખો ભારત દેશ ઉજવી રહ્યો છે ત્યારે હળવદ ખાતે ચૈત્રી પુનમના દિવસે લંગડેજી હનુમાનજીની જન્મજયંતિ લંગડેજી હનુમાનજી સેવા સમિતિ દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી.
હનુમાન જયંતિની પુર્વ સંધ્યાએ લંગડેજી હનુમાન સેવા સમિતી દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતનામ કલાકારો પ્રદીપદાન ગઢવી, યોગેશદાન ગઢવી, જયમંત દવે, હાર્દિક દવે, નરેશ રાવલ, પ્રિતેશ દવેએ ડાયરામાં રમઝટ બોલાવી હતી. ચૈત્રી પુનમના દિવસે લંગડેજી હનુમાન સેવા સમિતિ દ્વારા સપ્તકુંડી હોમાત્મક યજ્ઞનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ તકે સમિતિના બહારગામથી આવેલા સેવકો તેમજ હળવદ સમિતિના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે હળવદના વતની અને મુંબઈમાં આવેલ નહેરુ પ્લેની ટોરિયમના ડાયરેક્ટર ખગોળ શાસ્ત્રી જે જે રાવલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. લંગડેજી હનુમાનજી સમિતિના સભ્ય નરેશભાઈ રાવલ, દીપકભાઈ પટેલ, અમીત મુંજપરા, પિયુષ વૈષ્ણવ, વિમલ ધામેચા, પ્રિતેશ દવે, આશિષ દવે, જીજ્ઞાસુભાઈ પંચોલી, ચંદ્રકાંતભાઈ વૈષ્ણવ, દલવાડીભાઈ તેમજ ગ્રૂપના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(અહેવાલ : ભાવીશ જોશી-હળવદ)
