પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા વાહકજન્ય રોગો ના અટકાયત માટે સઘન સર્વે હાથ ધરાયો
મોરબી: ગુજરાત સરકાર ના “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨” ઉદેશ્યને સાકાર કરવા આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનીયાનો ઉપદ્રવના વધે તે હેતુથી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાની સૂચના અને પ્રા. આ. કેન્દ્ર લાલપર ના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયાના નિર્દેશાનુસાર સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, ચેતનાબેન ચૌહાણ તથા સબ સેન્ટરો ના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાબાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી, બી.ટી.આઈ. છંટકાવ, સોર્સ રીડક્શન, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ, વહેલું નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણ ની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.