(અહેવાલ: જયેશ બોખાણી)
મોરબી તાલુકાના નારણકા ગામમાં આગામી તા.19ના રોજ ઐતિહાસિક નાટક અને કોમિક ભજવવામાં આવશે.
નારણકા ગામે રામજી મંદિર ચોકમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.19/11/21ને દેવ દિવાળીના રોજ રાત્રે 10 કલાકે મહાન ઐતિહાસિક નાટક હિન્દનો છેલ્લો સમ્રાટ યાને પૃથ્વીરાજ ચૌહાણ તથા હાસ્યથી ભરપુર શેઠની સાહુકારી કોમિક ભજવવામાં આવશે. તેથી આસપાસના લોકોને આ નાટકનો લાભ લેવા બજરંગ યુવક મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.





