Sunday, May 4, 2025

મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે “સર્વરોગ નિદાન કેમ્પ” તથા બ્લડ ડોનેશન કેમ્પ તા. ૧૭/૧૦/૨૧ ના રોજ દશાશ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લગભગ ૩૨૦ દર્દીઓએ લાભ લીધેલ હતો.

આ કેમ્પમાં ડો.રવી પટેલ, ડો.વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ ( રાઘાક્રીષ્ન હોસ્પિટલ), ડો.દીક્ષીત કાસુન્દ્રા (કામ્યા સ્કીન કલીનીક), ડો.વિશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ)એ સેવા આપી હતી.
જેમાં દદીઁના RBS,ECG, ફેફસાની તપાસ (PFT), બીપી, હૃદય, ડાયાબીટીશ, આંખ, ચામડીની તપાસ કરીને દવા વિનામુલ્યે આપવામાં આવી હતી. સંસ્કાર બ્લડ બેન્ક માટે કેમ્પમાં ૫૭ બોટલ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. મહીલાઓએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જેજેસી પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW