Sunday, June 7, 2026

રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અંબાજીના દર્શન કર્યા

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત રાજ્યની શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે માથું ટેકવી પ્રાર્થના કરી

મોરબી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આદ્યા શકિત ધામ અંબાજીમાં નવરાત્રિના પવન પર્વની અષ્ટમીએ ભક્તિ ભાવ પૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા. આ વેળાએ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા પણ તેમની સાથે જોડાયા હતા.

દુર્ગાષ્ટમીની શુભ તિથિએ શ્રી અંબાજી શક્તિપીઠ ખાતે માં અંબાની આરાધના કરી રાજ્યની શાંતિ, સલામતી, સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની કાર્યકુશળતા, જ્ઞાન અને અનુભવના કારણે મોરબી માળિયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત મુખ્યમંત્રીની સાથે હોય રાજ્યકક્ષાએ મોરબીનું વજન અને ગૌરવ વધ્યું હોવાનું લોકો માની રહ્યા છે.

Related Articles

Total Website visit

1,607,788

TRENDING NOW