Tuesday, March 10, 2026

મોરબીમાં હવે ફાયર સેફટી માટે જનરલ કન્સલ્ટિંગ ઓફિસરની નિમણુંક

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લો બન્યા બાદ અનેક સુવિધાઓથી અલિપ્ત છે ત્યારે મોરબી શહેરમાં ફાયરની મંજૂરીઓ માટેની સુવિધાઓ માટે ની માંગ કરવામાં આવી રહી છે. જેમાં આજે મોરબીના લાભ એસોસીએટ્સ ખાતે કંસલ્ટિંગ યુવા એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યા ની મોરબી શહેર માં સૌપ્રથમ કંસલ્ટિંગ ફાયર સેફ્ટી ઓફિસર – જનરલ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

જેમાં ચિરાગભાઈ પડ્યાં આ પહેલા મોરબી જિલ્લા માં ઓનલાઇન બિલ્ડિંગ પ્લાન પણ લાભ એસોસીએટ્સ ખાતેથી સૌ પ્રથમ પાસ કરાવી ચૂકેલા છે અને હવે ચિરાગભાઈ પંડ્યાની નિમણુંક કંસલ્ટિંગ ફાયર સેફ્ટી ઓફિસર – જનરલ તરીકે કરવામાં આવેલ છે જેથી હવે લોકોને ફાયર સુવિધાઓ માટેનું એંનઓસી રીન્યુઅલ સર્ટી મોરબી ખાતે થી કાઢી શકાશે આજદિન સુધી મોરબી વાસીઓને આ સર્ટી કાઢવા માટે રાજકોટ ખાતે ધક્કા ખાવા પડતા હતા જે હવે મોરબીમાં ઉપલબ્ધ થતા મોરબી વાસીઓને રોજ બરોજના ધક્કાથી છૂટકારો મળી શકશે.

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW