Monday, May 5, 2025

ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો એક દિવસમાં ૧૦.૩ કરોડ યુનિટસ પૂરા પડાયા: ઉર્જા મંત્રી

Advertisement
Advertisement
Advertisement

ઉર્જા મંત્રી સોરભભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજયના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સમૃધ્ધ બને એ માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ગુણવત્તાયુકત અને સમયસર વીજળી પુરી પાડવામા આવી રહી છે. ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમા ધરખમ વધારો યયો છે ગઈકાલે માત્ર એક જ દિવસ માં ૧૦.૩ કરોડ યુનિટસ ખેડૂતોને પૂરા પડાયા છે  જે ગત વર્ષે  અપાયેલ ૯.૩ કરોડ દૈનિક વીજળી યુનિટસ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે.

ઉર્જામંત્રીએ ઉમેર્યુ કે રાજયના મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સહાયરૂપ થવા અનેક કૃષિ હિતલક્ષી નિર્ણયો કરાયા છે જેના પરિણામે ખેડૂતો વધુ ને વધુ ખેતી કરતા થયા છે. રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાયેલ હોવાથી ખેડૂતોનાં વાવેતરને બચાવવા માટે રાજય સરકારે ખેડૂતોને તારીખ. ૦૭.૦૭.૨૦૨૧ થી ૮ કલાક ને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો નિર્ણય કરીને ખેડૂતોના પડખે સરકાર ઉભી રહી છે જેના પરિણામે આ શકય બન્યુ છે.સામાન્ય સંજોગોમાં દૈનિક સરેરાશ સાડા છ થી સાત કરોડ યુનિટ વીજળીનો ખેતીવાડી ક્ષેત્રે વપરાશ થાય છે.

મંત્રીએ ઉમેર્યુ કે,રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો થયો છે જેમા તારીખ ૧૫.૦૮.૨૦૨૧નાં રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને ૧૦૩ મિલિયન યુનિટસ્ (૧૦.૩ કરોડ યુનિટસ્) વીજળી અપાઈ છે. જે ગત વર્ષે  એટલેકે વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોને અપાયેલ મહત્તમ દૈનિક વીજળીના ૯૩ મિલિયન યુનિટસ્ (૯.૩ કરોડ યુનિટસ્) કરતાં ૧૦ મિલિયન યુનિટસ્ વધારે છે એટલે કે એક કરોડ યુનિટનો વધારો થયો છે જેના લીધે ખેડૂતોના પાક ઉત્પાદનમા વૃધ્ધિ થશે તેમ તેમણે ઉમેર્યુ છે.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW