મોરબી: સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા મુકામે આચાર્ય વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત દરેક આચાર્યનું વિદ્યાર્થીઓએ પૂજન કર્યું હતું. કાર્યક્રમમાં વ્યક્તિગત ગીત, આચાર્ય વંદન, ભગવા ધ્વજનું પૂજન, અમૃતવચન, પ્રાસંગિક ગીત, પ્રાસંગિક ઉદ્ભોદન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદ્ભોદનમાં ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટેના પ્રત્યનો, ગુરુનું મહત્વ, વ્યક્તિના પ્રકાર, ગુરુપૂર્ણિમાનો અર્થ, તત્વના પૂજનનું મહત્વ વગેરે જેવી વાત કરી હતી. ત્યારબાદ સંઘપ્રથના અને શાંતિમંત્ર બોલી પ્રસાદી લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.






