મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં વર્ષોથી આંગણવાડી ખંઢેર હાલતમાં બંધ છે. જેથી ગરીબ બાળકો અને સર્ગભા સ્ત્રીઓ સરકારી યોજનાના લાભથી વંચિત રહી જાય છે. જે બાબતે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.
અને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી જે આંગણવાડી બંધ છે. તેને તોડી પાડીને નવી આંગણવાડી બનાવવા માંગ કરી છે. અને આ આંગણવાડી ન બનવાથી સરકાર તરફથી મળતા લાભથી નાના ભૂલકાઓ અને સગર્ભા બહેનો વંચિત રહી જાય છે. ત્યારે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી માટે જગ્યા નાની હોવાથી હેરનગતિનો સામનો કરવો પડે છે. જેથી કરીને નવી આંગણવાડી બનાવવા માંગ કરેલ છે.