મોરબી: તા.12 ના રોજ બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાની કાર્યપાલક ઈજનેર તેમજ બાંધકામ શાખાના અધિકારી સાથે મિટિંગ યોજાય હતી. અને આ મિટિંગમાં મોરબી જીલ્લાના માટેલ કોઝવેલ, રાપર ગામ રસ્તા, રંગપર-જીવાપર, હાઈવેથી ગુંગણ, હાઇવેથી સોખડા, રવાપર નદી, નવલખી હાઇવે ખીરસરા, ગાળા વગેરે કામની ચર્ચા કરી તાત્કાલિક ચોમાસા પહેલા આ રસ્તાના કામો પુરા કરવાની અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અને આથી 24 કલાકની અંદર માટેલ ધરાના પુલ સહિતના રીપેરીંગના કામો શરૂ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે કામ શરૂ કરી દેતા લોકોએ બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.





