(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
મોરબી: તાજેતરમાં તાઉતે વાવાઝોડાના કારણે અનેક જિલ્લાઓમાં નુકશાન પહોંચ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાના જુદાજુદા ગામોમાં વધુ નુકસાન થયું છે. ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદરૂપ થય રહ્યા છે.
ત્યારે ટંકારામા આવેલા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. દ્વારા વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં ગૌ માતા માટે ખોળ પહોંચાડવામાં આવેલ છે. તથા મોરબી પોલિપેક એશો.ના પ્રમુખ ટંકારાના યુવા ઉધોગપતિ જગદીશ પનારા દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં ગૌ માતાને ધાસચારો જરૂરી હોવા ધ્યાનમાં આવ્યું હતું. જેથી યંગ ઇન્ડિયા ગ્રૂપ થકી માહિતી મળતા તાત્કાલિક નિરણ માટે વ્યવસ્થા કરી આપી હતી. અને એક ગાડી કપાસિયા ખોળ ઉના તાલુકાના વિસ્તારમાં પહોંચતો કર્યો છે.






