Tuesday, March 10, 2026

વાંકાનેરમાં પરિણિતાએ મચ્છર મારવાનું લીકવીડ પી લેતા સારવારમાં

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના રોયલ પાર્ક બસ સ્ટેન્ડ પાછળ રહેતી 23 વર્ષિય પરિણિતાએ મચ્છર મારવાનું લીકવીડ પી જતાં સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના રોયલ પાર્ક બસ સ્ટેન્ડ પાછળ રહેતા પ્રિયંકાબેન આશીષભાઈ દામા (ઉ.વ.૨૩) નામની પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર મચ્છર મારવાનું લીક્વીડ પી લેતા વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભોગ બનનાર પરિણીતાનો લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જણાયું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,595,264

TRENDING NOW