Wednesday, March 11, 2026

મોરબી જલારામ મંદિર ખાતે ઔષધીય ઉપચાર અમૃતધારાનું વિનામૂલ્યે વિતરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પૂ.રણછોડદાસજી મહારાજ દ્વારા આજ થી ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધિય પ્રસાદ અમૃતધારાનું સર્વજ્ઞાતિય માટે વિનામુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ વિતરણ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન થશે. કોરોનાની મહામારી મા કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં આ આયુર્વેદીક ઉપચાર અકસીર હોય, અતિ જરૂરીયાતવાળા દર્દીઓને અગ્રીમતા આપવામાં આવશે. ઔષધિ મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું છે. તેમજ આગામી સમયમાં સમયાંતરે આ આયુર્વેદીક ઔષધિનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે તેમ જલારામ મંદિર-મોરબીના અગ્રણીઓએ જણાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,595,293

TRENDING NOW