સ્વ સહાય બહેનો ને આર્થિક રીતે સધ્ધર બનાવવાના હેતુ થી સરદાર બાગ ખાતે નવરાત્રી મેળાનો શુભારંભ
તા.9/10/2023 ના રોજ મોરબી ખાતે જિલ્લા કક્ષાના નવરાત્રી મેળા-૨૦૨3 નો શુભારંભ કરવામાં આવેલ.નવરાત્રીના પર્વને ધ્યાને રાખી જાહેર જનતા સ્વસહાય જૂથની બહેનો પાસેથી વધુમાં વધુ ખરીદી કરે અને જૂથની બહેનોને આર્થિક રીતે સધ્ધર બનાવવાના ઉમદા હેતુથી મહિલાઓના સશક્તિકરણ માટે તા.૦૯/૧૦/૨૦૨૩ થી ૧૪/૧૦/૨૦૨૩ સુધી સરદાર બાગ ખાતે નવરાત્રી મેળા કાર્યક્રમને માન. જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારધી દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા લાઇવલી હૂડ મેનેજરશ્રી,તાલુકાના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સ્વસહાય જૂથની બહેનો તેમજ મુલાકાતીઓ ઉપસ્થિત રહેલ હતા.









