વિદ્યાભારતી દ્વારા આયોજિત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચમાં મોરબી શિશુ મંદિરની ટીમે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો
વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત આયોજિત સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નોમંચમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર મોરબીની ટીમે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ ટીમમાં નિયાંતાબેન તુષારભાઇ બોપલિયા, રાહીલભાઇ તરુણભાઈ ભાડજા તથા દક્ષભાઈ નરેન્દ્રભાઈ ફેફરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે, તે બદલ શાળા પરિવાર અને સમગ્ર મોરબી ગૌરવની લાગણી અનુભવે છે. આ પ્રશ્ન મંચ ૧૧ સપ્ટેમ્બર અને રવિવારના રોજ કરમસદ મુકામે યોજાયો હતો, જેમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.






