વાવડી ચોકડી નજીક નંદીઓને હડફેટે લેતા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ગૌરક્ષકો માં રોષ.

મોરબીના વાવડી ચોકડી નજીક મદિરા પાનમાં ભાન ભૂલેલા ટ્રક ચાલક બેફામ ગતિએ ટ્રક ચલાવી નીકળેલ હોય ત્યારે ચાર નંદી ને અડફેટે લેતા ત્રણ નદીઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા ત્યારે અન્ય એક ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મદિરા પાન ની હાલતમાં ટ્રક ચલાવી ટ્રક ચાલક નીકળ્યો હોય ત્યારે વાવડી ચોકડી નજીક ચાર નંદી ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકના અડફેટે ત્રણ નદીઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે સ્થળ પર હાજર ગૌરક્ષકોએ ટ્રક ચાલકને ઝડપી લીધો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો તો બીજી તરફ મૃત્યુ પામેલ નંદીઓને નકલંક નેજાધરી ગૌ સેવા ગ્રુપ સાથે પ્રભુ ભાઈ વાંક અને ટીમ તાત્કાલિક નંદીઓને સમાધિ અપાવવા પહોંચી હતી







