વાંકાનેર ના નવા ખડીપરા વિસ્તારમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
વાંકાનેરના ખડીપરા વિસ્તારમાં ૩૫ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ અંગે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના નવા ખડીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ જીવણભાઈ સારલા ઉ.35 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





